આર્થિક બાબતોના સચિવ અજય સેઠે ગુરુવારે જણાવ્યું હતું કે, યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં 0.50 ટકાના ઘટાડાથી ભારતમાં વિદેશી રોકાણ પર કોઈ ખાસ અસર થવાની સંભાવના નથી. તેમણે કહ્યું કે, યુએસ ફેડરલ રિઝર્વે તે કર્યું છે જે તેને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે સારું લાગે છે, પરંતુ આરબીઆઈ ભારતીય અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેશે. પીટીઆઈના સમાચાર મુજબ ભારતીય અર્થવ્યવસ્થા સહિત વૈશ્વિક અર્થતંત્ર માટે આ સકારાત્મક છે.