વેદાંતા ગ્રુપની કંપની હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)એ તેના પ્રોડક્શન કેપિસિટીને 50 ટકા વધારીને 15 લાક ટન કરવાનું લક્ષ્ય છે. કંપનીએ કહ્યું છે કે તેનું વિચાર ચાલું નાણાકીય વર્ષમાં તેની ઝીંક પ્રોજક્શન કેપિસિટીને 10 લાખ ટન પ્રતિ વર્ષથી વધીને 15 લાખ ટન પ્રતિ વર્ષ કરવાનું છે. હિન્દુસ્તાન ઝિંકના ચેરપર્સન અને વેદાંત લિમિટેડના નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રિયા અગ્રવાલ હેબ્બરે કંપનીની 57મી એનુઅલ જનરલ મીટિંગ (AGM)માં આ જાણકારી આપી.
તેના એનવાયરમેન્ટ, સોશલ અને ગવર્નેસ (ESG) ઑબ્જેક્ટિવનો હિસ્સાના રૂપમાં હિન્દુસ્તાન ઝિંક તેની સ્થિરતાને વધારવાના લક્ષ્યની સાથે અવતા બે વર્ષમાં કોલસા પર તેની નિર્ભરતાને 50 ટકા સુધી ઑછી કરવાની યોજના બનાવી રહી છે.
2025 સુધી કોલસા નિર્ભરતાને 50 ટકા ઓછો કરવાનો લક્ષ્ય
પ્રિયા અગ્રવાલ હેબ્બારે કહ્યું છે કે, "આજે અમારા પંતનગર મેટલ પ્લાન્ટ 100 ટકા રિન્યૂએબલ એનર્જીની સાથે સંચાલિત છે. અમારી સોલર પ્રોજેક્ટમાં 180 મેગાવોટ અને વિન્ડ પ્રોજેક્ટમાં 250 મેગાવોટની ક્ષમતા છે. કંપની 2025 સુધી તેના કોલસા નિર્ભરતાને 50 ટકા સુધી ઓછી કરશે." પ્રિયાએ કહ્યું છે કે હિન્દુસ્તાન ઝિંક અંડરગ્રાઉન્ડ માઈનિંગમાં બેટરી ઑપરેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) રજૂ કરવા વાળી દેશની પહેલા કંપની બની ગઈ છે. પ્રિયાએ કહ્યું કે કંપનીનું લક્ષ્ય 2030 સુધી તેને ESG લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું છે, જે પેરેન્ટ કંપની વેદાંતા ગ્રુપના 2050ના લક્ષ્યથી આગળ છે.