Ramdev Agrawal on Share Market: શેરબજારમાં હાલમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે મોતીલાલ ઓસ્વાલ ગ્રુપના ચેરમેન રામદેવ અગ્રવાલે રોકાણકારો માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો સૌથી મોટો ડર શેરબજારે પહેલાથી જ પચાવી લીધો છે. એટલે કે, તેની અસર બજારના ભાવોમાં જોવા મળી ચૂકી છે. જોકે, તેમણે રોકાણકારોને હાલના સમયમાં ખૂબ જ સાવધાનીપૂર્વક અને પસંદગીના શેરોમાં જ રોકાણ કરવાની સલાહ આપી છે.

