નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન: ‘ભણેલા લોકો કરતા મને અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાંથી વધુ વોટ મળ્યા'
Gadkari controversial statement: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નાગપુરમાં ચોંકાવનારું નિવેદન. તેમણે કહ્યું કે ભણેલા લોકો કરતા મને અંડરવર્લ્ડ અને રેડ લાઈટ એરિયામાંથી 92% વોટ મળ્યા છે.
આ કાર્યક્રમમાં પોતાના ચૂંટણી અનુભવો શેર કરતા ગડકરીએ આંકડાઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "શહેરના જે મોટા અને શિક્ષિત વિસ્તારો છે, ત્યાંથી મને કુલ મતદાનના આશરે 70થી 75% વોટ મળ્યા હતા. પણ તેની સામે ગુનેગારો, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાંથી મને 92% જેટલા જંગી વોટ મળ્યા છે."
Gadkari controversial statement: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી હંમેશા તેમના સીધા અને બેબાક અંદાજ માટે જાણીતા છે. તેઓ જે પણ મનમાં હોય તે સ્પષ્ટપણે કહી દેતા હોય છે. હાલમાં જ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ફરી એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ગડકરીએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે ચૂંટણીમાં તેમને ભણેલા-ગણેલા લોકો કરતા અંડરવર્લ્ડ, ગુનેગારો અને રેડ લાઈટ એરિયાના લોકોએ વધુ વોટ આપ્યા છે.
શિક્ષિત વિસ્તારો કરતા ગુનેગાર વિસ્તારોમાં વધુ વોટ
આ કાર્યક્રમમાં પોતાના ચૂંટણી અનુભવો શેર કરતા ગડકરીએ આંકડાઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "શહેરના જે મોટા અને શિક્ષિત વિસ્તારો છે, ત્યાંથી મને કુલ મતદાનના આશરે 70થી 75% વોટ મળ્યા હતા. પણ તેની સામે ગુનેગારો, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાંથી મને 92% જેટલા જંગી વોટ મળ્યા છે." ગડકરીનો આ નિવેદનવાળો વિડીયો હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
હું તેમના ખોટા કામોને ટેકો નથી આપતો: ગડકરી
આ વાત કહેતાની સાથે જ ગડકરીએ હસતા હસતા સ્પષ્ટતા પણ કરી દીધી હતી. તેમણે કહ્યું કે નાગપુરમાં અંડરવર્લ્ડ અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લગભગ 99% લોકો તેમના સમર્થક છે. જોકે, તેનો અર્થ એવો બિલકુલ નથી કે તેઓ આવા લોકોના કોઈ ખોટા કામ કે પ્રવૃત્તિઓને ટેકો આપે છે.
ગડકરીએ વધુમાં સમજાવ્યું કે, "મારો આ તમામ લોકો સાથે સંબંધ છે, પરંતુ તેને ખોટા અર્થમાં લેવો જોઈએ નહીં. આ વિસ્તારોમાં અમે સારા રસ્તાઓ બનાવ્યા છે અને સામાજિક કાર્યો કર્યા છે, જેના કારણે જ ત્યાંના લોકોએ વિકાસને જોઈને મને વોટ આપ્યા છે."
નિવેદનની મુખ્ય વાતો:
* શિક્ષિત અને પોશ વિસ્તારોમાં ગડકરીને 70-75% વોટ મળ્યા હતા.
* અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાં આ આંકડો 92% રહ્યો.
* 99% અસામાજિક તત્વો તેમને સમર્થન આપે છે, પણ ગડકરી તેમના ગેરકાયદેસર કામને સપોર્ટ કરતા નથી.
* માત્ર ને માત્ર વિકાસ અને રસ્તાના કામોને લીધે તેમને આ વોટ મળ્યા હોવાની સ્પષ્ટતા.
નીતિન ગડકરી પોતાની વાત કોઈપણ જાતનો ડર રાખ્યા વગર કે રાજકીય નુકસાનની ચિંતા કર્યા વગર રજૂ કરવા માટે જાણીતા છે. આ અગાઉ પણ તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, "મેં હવે ઘણું કામ કરી લીધું છે, હવે આવનારી નવી પેઢીને તક મળવી જોઈએ." ગડકરીનું આ નવું નિવેદન ફરી એકવાર સાબિત કરે છે કે તેઓ રાજકારણમાં કોઈ પૂર્વધારણા કે ફિલ્ટર વગર પોતાની વાત લોકો સામે મૂકવાની હિંમત ધરાવતા એકમાત્ર નેતા છે.