Bihar Government Formation: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે નવી સરકાર બનાવવાની કવાયત વેગવંતી બની છે. રાજકીય સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ આગામી 20 નવેમ્બરના રોજ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. એવી પણ માહિતી છે કે નીતિશ કુમાર તેમની સાથે એક નાયબ મુખ્યમંત્રી અને લગભગ 20 જેટલા મંત્રીઓ સાથે શપથ લેશે. આ બધાની વચ્ચે, નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે.

