Champions Trophy 2025 : ભારતીય ક્રિકેટ લવર્સ માટે મોટા સમાચાર આવ્યા છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાની સાથે, ન્યુઝીલેન્ડ પણ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે સોમવારે રાવલપિંડીમાં રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડની આ જીત સાથે, યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ ગ્રુપ બીમાંથી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
ભારત કોની સાથે કોમ્પિટિશન કરશે?
આપને જણાવી દઈએ કે ભારતનો આગામી મુકાબલો 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે થશે. જો ભારત આ મેચ જીતશે તો તે ગ્રુપ Aમાં ટોચ પર રહેશે અને સેમિફાઇનલમાં પહોંચશે. અહીં, ભારતનો મુકાબલો ગ્રુપ Aમાં બીજા ક્રમે રહેલી ટીમ સાથે થશે, જ્યારે અન્ય સેમિફાઇનલમાં ગ્રુપ Aની બીજા ક્રમે રહેલી ટીમ અને ગ્રુપ Bની પ્રથમ ક્રમે રહેલી ટીમ વચ્ચે ટક્કર થશે.
સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સાથે રમશે તેનું પિક્ચર ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પછી જ સ્પષ્ટ થશે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડે અત્યાર સુધી પોતાના ગ્રુપમાં 2-2 મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. બીજી તરફ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો બંને મેચ હારી ગઈ છે.