Chandrayaan 3: ચંદ્રયાન 3ની લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ, જાણો શું હોય છે 15 મિનિટ્સ ઓફ ટેરર? | Moneycontrol Gujarati
Get App

Chandrayaan 3: ચંદ્રયાન 3ની લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ, જાણો શું હોય છે 15 મિનિટ્સ ઓફ ટેરર?

Chandrayaan 3: ચંદ્રયાન-3ના લેન્ડિંગનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. અંતરિક્ષ યાનનું વિક્રમ લેન્ડર ચંદ્ર પર લેન્ડ કરશે. આ પહેલા ચંદ્રયાન ચંદ્રની સૌથી નજીકના ઓર્બિંટમાં ચક્કર લગાવતા કેટલીક તસવીરો લઈ રહ્યું છે. યાનના લેન્ડિંગનો અંતિમ નિર્ણય ખૌફની ક્ષણ જેવો હશે જેને 15 મિનિટ્સ ઓફ ટેરર કહેવાય છે. આવો જાણીએ અંતે આવું કેમ કહેવાય છે.

અપડેટેડ 10:10:21 AM Aug 23, 2023 પર
Story continues below Advertisement
Chandrayaan 3: ચંદ્રયાન 3 ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે

Chandrayaan 3: ચંદ્રયાન 3 ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ચંદ્રની નજીક પહોંચતાની સાથે જ વિક્રમ લેન્ડરે હાલમાં ચંદ્રની અનેક તસવીરો મોકલી છે. ઈસરોએ જણાવ્યું કે અવકાશયાન તેની લેન્ડિંગ સાઈટ શોધતી વખતે આ તસવીરો કેપ્ચર કરે છે.

ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર આજે એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે થશે. ચંદ્રયાનના લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ ખૌફની ક્ષણ હશે, જેને 15 મિનિટ્સ ઓફ ટેરર ​​(15 miutes of terror) કહેવામાં આવે છે. આવો, ચાલો જાણીએ કે આવું કેમ કહેવાય છે.

આજે નહીં તો 27મીએ લેન્ડિંગ


ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર આજે લેન્ડિંગના 2 કલાક પહેલા પરિસ્થિતિનો તાગ મેળવશે. જો લેન્ડર લોડ્યૂલની સ્થિતિ અને ચંદ્ર પર સ્થિતિ યોગ્ય નથી, તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી સ્થગિત કરી શકાય છે.

ઈસરોના વૈજ્ઞાનિક નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે- લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર 30 કિમીની ઊંચાઈએથી ઉતરવાનો પ્રયાસ કરશે અને તે સમયે તેની ઝડપ 1.68 કિમી પ્રતિ સેકન્ડ હશે. વૈજ્ઞાનિકે કહ્યું કે લેન્ડિંગ સમયે સ્પીડ વધુ ઓછી થઈ જશે અને જો આમ નહીં થઈ શકે તો ક્રેશ લેન્ડિંગની શક્યતા છે.

જાણો 15 મિનિટ્સ ઓફ ટેરર

ચંદ્રયાન 3ના ઉતરાણની છેલ્લી ક્ષણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, કોઈપણ સ્પેસ મિશનની છેલ્લી ક્ષણોને લાસ્ટ મિનિટ્સ ઑફ ટેરર ​​કહેવામાં આવે છે. ચંદ્રયાન 3 સાથે પણ આવું જ છે, જે દરમિયાન લેન્ડર ચંદ્રની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે.

આ છેલ્લી 15 મિનિટમાં, લેન્ડર જાતે જ કામ કરે છે. આ પ્રક્રિયામાં ઈસરો તરફથી કોઈ કમાન્ડ આપી શકશે નહીં. આ દરમિયાન વિક્રમ લેન્ડરે યોગ્ય સમયે, ઊંચાઈએ અને યોગ્ય માત્રામાં ઈંધણનો ઉપયોગ કરીને લેન્ડ કરવાનું હોય છે. આ જ કારણ છે કે આ સમયને 15 મિનિટ ઓફ ટેરર ​​કહેવામાં આવે છે.

લેન્ડિંગ બાદ બહાર આવશે રોવર

પ્રજ્ઞાન રોવર તેના સફળ ઉતરાણના 2 કલાક પછી લેન્ડરમાંથી બહાર નીકળશે. લેન્ડિંગ દરમિયાન મોટી માત્રામાં ધૂળ ઉડતી હોવાને કારણે સેન્સર ગૂંચવાઈ શકે છે, તેથી પ્રજ્ઞાન રોવર 2 કલાક પછી વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળશે. ત્યારબાદ રોવર સપાટી પરથી ચંદ્ર વિશે ચોક્કસ માહિતી એકત્રિત કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 23, 2023 10:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.