Child Medicine Safety: રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપના કારણે બાળકોના મોતની ઘટનાઓએ દેશભરમાં ચિંતા ફેલાવી છે. આ ઘટનાઓએ એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે: શું ડોક્ટરની સલાહ વિના બાળકોને આપવામાં આવતી દવાઓ જીવલેણ બની શકે છે? નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર કફ સિરપ જ નહીં, પરંતુ એસ્પિરિન, એન્ટિબાયોટિક્સ અને શરદીની દવાઓ પણ બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

