Extravagance in marriage: લોકસભામાં રજૂ થયું ખાસ બિલ, લગ્નમાં થતા ખોટા ખર્ચા પર લાગશે અંકુશ, જાણો બિલની ખાસ જોગવાઈ | Moneycontrol Gujarati
Get App

Extravagance in marriage: લોકસભામાં રજૂ થયું ખાસ બિલ, લગ્નમાં થતા ખોટા ખર્ચા પર લાગશે અંકુશ, જાણો બિલની ખાસ જોગવાઈ

Extravagance in marriage: આ બિલમાં લગ્ન માટે ત્રણ મુખ્ય જોગવાઈઓ સૂચવવામાં આવી છે. આમાં વર અને વરરાજાના પરિવારના મહેમાનોની કુલ સંખ્યાને 100 સુધી લિમિટ કરવી, પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યા 10 સુધી લિમિટ કરવી અને ભેટની કિંમત પણ નક્કી કરવી.

અપડેટેડ 11:13:20 AM Aug 07, 2023 પર
Story continues below Advertisement
આ બિલમાં લગ્ન માટે ત્રણ મુખ્ય જોગવાઈઓ સૂચવવામાં આવી છે. આમાં વર અને વરરાજાના પરિવારના મહેમાનોની કુલ સંખ્યાને 100 સુધી લિમિટ કરવી, પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યા 10 સુધી લિમિટ કરવી અને ભેટની કિંમત 2,500 રૂપિયા સુધી લિમિટ કરવાનો સમાવેશ થાય છે.

Extravagance in marriage: કોંગ્રેસના સાંસદે સંસદના ચોમાસુ સત્રમાં એક ખાસ બિલ રજૂ કર્યું છે, જેમાં લગ્નોમાં થતા ખર્ચ પર અંકુશ લગાવવાની વાત કરવામાં આવી છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાઈવેટ મેમ્બર બિલ અનુસાર, વરઘોડામાં માત્ર 50 લોકો જ ભાગ લઈ શકશે. આ ઉપરાંત લગ્નમાં 10 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે નહીં. એવી જોગવાઈ છે કે 2500 રૂપિયાથી વધુનો ચાંડલો કે ભેટ આપી શકાય નહીં.

કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલે 4 ઓગસ્ટે લોકસભામાં 'પ્રિવેન્શન ઓફ એક્સટ્રાવેગન્સ ઓન સ્પેશિયલ ઓકેશન્સ બિલ 2020' રજૂ કર્યું હતું. તેમણે સંસદને જણાવ્યું હતું કે, “બિલનો ઉદ્દેશ્ય વંચિત અને નિરાધાર લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે લગ્ન અને તહેવારો જેવા ખાસ પ્રસંગો પર થતા નકામા ખર્ચને રોકવાનો છે. બિલની મુખ્ય જોગવાઈઓને પ્રકાશિત કરતી એક ટ્વીટમાં કોંગ્રેસ સાંસદે કહ્યું કે તે જાનમાં હાજર લોકોની સંખ્યાને લિમિટ કરે છે, જેમાં મેક્સિમમ 50 લોકોની લિમિટ છે.

કવર પ્રથામાં પણ ઘટાડાની જોગવાઈ


આ બિલ આવા પ્રસંગો પર પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યાની લિમિટ સાથે 10 વાનગીઓની લિમિટની પણ દરખાસ્ત કરે છે. બિલની અન્ય એક મહત્ત્વની વિશેષતા રૂપિયા 2,500ની લિમિટ સાથે 'ચાંડલો' જેને શગુન નામે પણ ઓળખાય છે અથવા ખાસ પ્રસંગો દરમિયાન ભેટની આપ-લે કરવામાં આવતી ગિફ્ટના નાણાકીય વેલ્યૂને નક્કી કરવામાં આવી છે.

દેખા દેખીમાં થાય છે દેવું

પંજાબના ખડૂર સાહિબના સાંસદનો ઉદ્દેશ્ય ભવ્ય લગ્નોની સંસ્કૃતિનો અંત લાવવાનો છે જે કન્યાના પરિવાર પર આર્થિક બોજ નાખે છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર, સાંસદે કહ્યું કે લોકો પોતાની મિલકત વેચી દે છે અથવા લગ્નોની ભરપાઈ કરવા બેન્ક લોન લેતા હોવાની વાર્તાઓએ આ બિલની રજૂઆતને પ્રેરણા આપી છે. તેમણે કહ્યું કે લગ્નો પર બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ મૂકીને કાયદો સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવાની અને છોકરીઓને 'બોજ' તરીકે જોવાની ધારણાને બદલવાની આશા રાખે છે.

લગ્નમાં ભોજનનો બગાડ પણ અટકાવો

કૉંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલને 2019માં ફગવાડામાં લગ્નમાં હાજરી આપવાથી આ બિલની પ્રેરણા મળી હતી. અહીં વાનગીઓની 285 ટ્રે નું અવલોકન કર્યા બાદ તેમણે જોયું કે 129 ટ્રે ને લોકો અડ્યા પણ ન હતા. જેના પરિણામે ખોરાકનો બગાડ થાય છે.

બિલની મુખ્ય જોગવાઈઓ

આ બિલમાં લગ્ન માટે ત્રણ મુખ્ય જોગવાઈઓ સૂચવવામાં આવી છે. આમાં વર અને વરરાજાના પરિવારના મહેમાનોની કુલ સંખ્યાને 100 સુધી લિમિટ કરવી, પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યા 10 સુધી લિમિટ કરવી અને ભેટની કિંમત 2,500 રૂપિયા સુધી લિમિટ કરવાનો સમાવેશ થાય છે. વધુમાં કાયદો ઉડાઉ ભેટો આપવા, ગરીબ, જરૂરિયાતમંદ, અનાથ અને સમાજના અન્ય નબળા વર્ગોને અથવા એનજીઓને સહાયતા માટે દાનની હિમાયત કરવા પ્રોત્સાહિત કરે છે.

પોતાના પરિવાર પર વ્યવસ્થા લાગુ કરી

સાંસદ ગિલે આ સિદ્ધાંતોને તેમના પોતાના પરિવારમાં લાગુ કરીને તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે જ્યારે તેમના પુત્ર અને પુત્રીના લગ્ન થયા ત્યારે તેમણે મહેમાનોનું લિસ્ટ 30 થી 40 સુધી સીમિત કરી દીધુ હતું.

આ પણ વાંચો - Chandrayaan 3: બસ હવે હાથવેંત દૂર છે ચંદામામા, ‘ચંદ્રયાન-3' એ મોકલ્યો પહેલો વીડિયો, જોઈને દેશના વૈજ્ઞાનિકો પર થશે ગર્વ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2023 11:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.