ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહોમાંથી એક, ટાટા ગ્રૂપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન સહિત ગ્રૂપના ટોચના અધિકારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બેઠક યોજી હતી. આ બેઠક ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વચ્ચે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક અને કોર્પોરેટ કામગીરીને લગતા મુદ્દાઓ પર ચાલી રહેલા વિવાદને લઈને થઈ હતી.

