હાર્વર્ડના વિજ્ઞાનીઓએ મળીને બનાવી એક અદ્દભૂત દવા, કદી નહીં થવા દે વૃદ્ધ
હાર્વર્ડના વૈજ્ઞાનિકોએ યુવાન રહેવાની તમારી ઈચ્છાને સાચી બનાવવાનો એક માર્ગ શોધી કાઢ્યો છે. આ રિસર્ચ માત્ર તમારી ઉંમર જ નહીં પરંતુ રોગોને પણ દૂર કરે છે. આ રિસર્ચમાં એવી બાયોલોજીકલ સ્વીચ મળી આવી છે જેના દ્વારા તમારી ઉંમર વધવાની પ્રોસેસને કંટ્રોલ કરી શકાય છે. આ રિસર્ચના પરિણામો સફળ રહ્યા છે. ત્રણ વર્ષના ડિપ ટેસ્ટિંગ બાદ રિસર્ચર્સને સફળતા મળી છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના જિનેટિક પ્રોફેસર અને ટીમે આવા પાંચથી સાત એજન્ટોનો ઉપયોગ કર્યો હતો જેનો ઉપયોગ શારીરિક અને માનસિક વિકૃતિઓને સુધારવા માટે થાય છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે દાવો કર્યો છે કે તેઓએ એક કેમિકલ કોકટેલ શોધી કાઢ્યું છે જે વૃદ્ધત્વને ધીમું કરવાને બદલે ઉલટાવે છે. આ પિલને ફાઉન્ટેન ઓફ યુથ નામ આપવામાં આવ્યું છે. હાર્વર્ડના રિસર્ચક ડેવિડ સિંકલેરે આ રિસર્ચ ટ્વિટર પર શેર કર્યું છે. આ રિસર્ચમાંથી જે પણ બાબતો જાણવા મળી, તે મેડિકલ જર્નલના વૃદ્ધત્વ વિભાગમાં વિગતવાર જણાવવામાં આવી. આ સાથે તેના આશ્ચર્યજનક પરિણામથી શ્વાસની દુનિયામાં હલચલ મચી ગઈ છે.
ટ્વીટ વાયરલ થયું
ડેવિટ સિંકલેરે ટ્વીટમાં લખ્યું છે કે અમે પહેલા ઉંમર ઘટાડવા માટે ભ્રૂણના જનીનો પર જીન થેરાપીનો ઉપયોગ કર્યો છે. ડેવિડે સમગ્ર રિસર્ચ વિશે 17 ટ્વિટ કરી હતી અને જેને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેમિકલ કોકટેલની મદદથી આપણે આખા શરીરને કેવી રીતે બદલી શકીએ છીએ.
વાંદરા અને ઉંદરો પર કરવામાં આવેલ પ્રયોગ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના જિનેટિક પ્રોફેસર અને ટીમે આવા પાંચથી સાત એજન્ટોનો ઉપયોગ કર્યો હતો જેનો ઉપયોગ શારીરિક અને માનસિક વિકૃતિઓને સુધારવા માટે થાય છે. સતત ત્રણ વર્ષ સુધી ઉંદરો અને વાંદરાઓ પર કરવામાં આવેલ રિસર્ચને અંતે સફળતા મળી. રિસર્ચર્સએ એક પરમાણુ શોધી કાઢ્યું છે જે સેલ્યુલર વૃદ્ધત્વને ઉલટાવી શકે છે અને માનવ કોષોને પુનર્જીવિત કરી શકે છે. આ શોધ પછી વૃદ્ધાવસ્થા તમને સ્પર્શ પણ નહીં કરે.
Grateful to share our latest publication: We’ve previously shown age reversal is possible using gene therapy to turn on embryonic genes. Now we show it’s possible with chemical cocktails, a step towards affordable whole-body rejuvenation 1/17 https://t.co/J9c01lv5FQ
ટીમને છ કેમિકલ કોકટેલ મળી આવ્યા જે એનસીસી અને જીનોમ-વાઇડ ટ્રાન્સક્રિપ્ટ પ્રોફાઇલને પુનઃસ્થાપિત કરે છે. જેના કારણે તમારી યુવાની અવસ્થા અકબંધ રહે છે. તે એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં મનુષ્યની ટ્રાન્સક્રિપ્ટોમિક ઉંમરને ઉલટાવી દે છે. ડેવિડ સિંકલેરના ટ્વીટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઓપ્ટિક નર્વ, મગજની પેશીઓ, કિડની અને સ્નાયુઓ પર કરવામાં આવેલા રિસર્ચના પરિણામો ખૂબ સારા છે. આનાથી ઉંદરોનું આયુષ્ય પણ વધ્યું. આ સાથે એવું પણ જાણવા મળ્યું કે આના કારણે વાંદરાઓની જોવાની ક્ષમતામાં પણ સુધારો થયો છે.
રોગો દૂર થશે
ડેવિડ સિંકલેરે એક કોન્ક્લેવમાં જણાવ્યું કે આ રિસર્ચ માત્ર તમારી ઉંમરને જ નહીં પરંતુ રોગોને પણ દૂર કરે છે. આ રિસર્ચમાં એવી બાયોલોજીકલ સ્વીચો મળી આવી છે જેના દ્વારા તમે એજિંગ પ્રોસેસને કંટ્રોલ કરી શકો છો. ડેવિડે કહ્યું કે જો આ બાયોલોજીકલ સ્વીચોની હેરફેર કરવામાં આવે તો એજિંગ પ્રોસેસ પોતે જ પલટાઈ જશે અને તમારું આયુષ્ય પણ વધી શકે છે. જ્યારે હું હાર્વર્ડમાં દાખલ થયો ત્યારે વૃદ્ધાવસ્થાને ઉલટાવી દેવાનો અને ધીમો પાડવાનો વિચાર ગાંડપણ કહેવાતો.