Janmashtami 2023: કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. આ શુભ અવસર પર કૃષ્ણ ભક્તો ઉપવાસ રાખે છે અને જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ દિવસે ભગવાનના બાળ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને મધ્યરાત્રિના 12 વાગ્યા પછી પારણા કરવામાં આવે છે. આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હંમેશા ભક્તો પર બની રહે છે અને જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ વર્ષ 2023 માં જન્માષ્ટમીની તારીખ,શુભ સમય અને મહત્વ વિશે.



