Get App

Statue of Unity: બોલાવી રહ્યું છે કેવડિયા...! આગામી ત્રણ મુખ્ય રજાઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ચાલુ

Statue of Unity: ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ આગામી ત્રણ મહિનામાં આવનારી ત્રણ ખાસ રજાઓમાં ખુલ્લું રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસને દેશી અને વિદેશી પર્યટકોને વિશેષ સુવિધા આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે. આ ત્રણેય રજાઓ સોમવારે પડી રહી હતી.

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2023 પર 11:30 AM
Statue of Unity: બોલાવી રહ્યું છે કેવડિયા...! આગામી ત્રણ મુખ્ય રજાઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ચાલુStatue of Unity: બોલાવી રહ્યું છે કેવડિયા...! આગામી ત્રણ મુખ્ય રજાઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ચાલુ
Statue of Unity: ત્રણ રજાઓમાં સ્થાનિક અને બહારના પ્રવાસીઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી શકશે.

Statue of Unity: ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ત્રણ રજાના દિવસે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. એકતા નગરમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય રીતે દર સોમવારે બંધ રહે છે. એકતાનગરમાં આવેલા અન્ય પ્રવાસન સ્થળો પણ બંધ રહે છે, પરંતુ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવતી ત્રણ રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. આવી સ્થિતિમાં આ ત્રણ રજાઓમાં સ્થાનિક અને બહારના પ્રવાસીઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી શકશે.

પ્રવાસીઓને સુવિધા મળશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, જાહેર રજાના દિવસે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે. આ હેતુ માટે, વહીવટીતંત્રે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર), ગુરુ નાનક જયંતિ (27 નવેમ્બર) અને ક્રિસમસ (25 ડિસેમ્બર) જેવી આગામી જાહેર રજાઓમાં સોમવારે ખોલવાનું નક્કી કર્યું છે. બામણિયાએ જણાવ્યું કે સોમવાર ત્રણેય જાહેર રજાના દિવસે આવતો હતો.

ઓનલાઈન બુકિંગ કરી શકશે

બધા સમાચાર

+ વધુુ વાંચો