Bullet train : બુલેટ ટ્રેનમાં જઇશું અમદાવાદથી દિલ્હી, જાણો કયા કયા સ્ટેશનોએ મળી શકે છે સ્ટોપેજ? | Moneycontrol Gujarati
Get App

Bullet train : બુલેટ ટ્રેનમાં જઇશું અમદાવાદથી દિલ્હી, જાણો કયા કયા સ્ટેશનોએ મળી શકે છે સ્ટોપેજ?

આ ગુજરાતની બીજી હાઈસ્પીડ રેલ હશે. આ બુલેટ ટ્રેનને કારણે અમદાવાથી દિલ્હીનું અંતર ઘણું ઘટી જશે અને લોકો માત્ર 3.5 કલાકમાં જ અમદાવાદથી રાજધાની પહોંચી શકાશે. અત્યારે આ મુસાફરી 12 કલાકની છે.

અપડેટેડ 05:34:19 PM Apr 18, 2024 પર
Story continues below Advertisement
ભારત સરકારનું માનવું છે કે આનાથી પ્રવાસન પણ વધશે.

Bullet train : ભાજપે તેના ઢંઢેરામાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનું વચન આપ્યું છે. હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રેલવે હવે દિલ્હીથી અમદાવાદ સુધી પણ બુલેટ ટ્રેન દોડાવવાની યોજના તૈયાર કરી રહી છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ રેલ હશે. આ બુલેટ ટ્રેનને કારણે દિલ્હીથી અમદાવાદનું અંતર ઘણું ઘટી જશે અને લોકો માત્ર 3.5 કલાકમાં રાજધાનીથી અમદાવાદ પહોંચી શકશે. હાલમાં આ યાત્રા 12 કલાકની છે.

રેલવેએ આ બુલેટ પ્રોજેક્ટ માટે ડીપીઆર એટલે કે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અંતર્ગત લેવાયેલા નિર્ણય મુજબ અમદાવાદ અને દિલ્હી વચ્ચે કુલ 11 સ્ટેશન હશે. આ ટ્રેન અમદાવાદથી ઉપડશે અને 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરીને પહેલા હિંમતનગર પહોંચશે. આ પછી ઉદયપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, રેવાડી અને માનેસર આવશે. માનેસર બાદ બુલેટ ટ્રેન સીધી દિલ્હી આવશે. હકીકતમાં આ પ્રોજેક્ટ ભારત સરકારની યોજનાનો એક ભાગ છે, જેના હેઠળ દેશના ચારેય ખૂણાઓને બુલેટ ટ્રેન દ્વારા જોડવામાં આવશે.

ભારત સરકારનું માનવું છે કે આનાથી પ્રવાસન પણ વધશે. આ બુલેટ ટ્રેન માટે અમદાવાદ અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જેનાથી મુસાફરોના 9 કલાકનો સમય બચશે અને મુસાફરી પણ આસાન બનશે. જોકે, આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. રેલવે સૂત્રોનું કહેવું છે કે બુલેટ ટ્રેનના આ રૂટ માટે ઓછામાં ઓછી જમીન સંપાદન કરવામાં આવશે. તેનું કારણ એ છે કે તેને દિલ્હી-અમદાવાદ વચ્ચેના હાલના રૂટ પર જ ચલાવવામાં આવશે અને તેની બાજુમાં એક અલગ ટ્રેક નાખવામાં આવશે. જો આમ થશે તો અલગથી વધુ જમીન સંપાદન કરવાની જરૂર રહેશે નહીં.


આ પણ વાંચો-Time magazine: ‘ટાઈમ' મેગેઝિનમાં 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સાક્ષી મલિક, આલિયા ભટ્ટનું નામ, જાણો કેટલા વધુ ભારતીયોને મળ્યું સ્થાન

માત્ર રેલવે સાઇટ પર ઉપલબ્ધ જમીનનો ઉપયોગ કરવામાં આવશે અને માત્ર થોડી વધારાની જમીન સંપાદિત કરવાની રહેશે. આ બુલેટ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દોડશે અને દિલ્હી પહોંચતા પહેલા રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થશે. આ રીતે અમદાવાદથી દિલ્હી સુધી બુલેટ દોડવાથી રાજસ્થાન અને હરિયાણાના લોકોનો પ્રવાસ પણ સરળ બનશે. નોંધનીય છે કે રેલવેના જણાવ્યા અનુસાર અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન 2026થી દોડવાનું શરૂ થઈ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 18, 2024 5:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.