Kheda syrup scandal: રાજ્યમાં હાલમાં ચર્ચામાં આવેલા બહુચર્ચિત સિરપકાંડમાં કેવી રીતે સિરપ બનાવવામાં આવી તેના અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. નડિયાદના બિલોદરામાં કથિત લઠ્ઠાકાંડમાં સાત વ્યકિતઓના મૃત્યુ થયા બાદ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાઇ હતી.આ મામલે હાલ નશીલી સિરપ બનાવનાર રાજદિપસિંહ વાળાના તારીખ 18મી સુધી રિમાન્ડ મંજૂર થયા હતા.



