Ernakulam Blast: કેરળના એર્નાકુલમમાં રવિવારે થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ બ્લાસ્ટ એક કન્વેન્શન સેન્ટરમાં થયો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. કન્વેન્શન સેન્ટરમાં જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ત્યાં ખ્રિસ્તી પ્રાર્થના ચાલી રહી હતી. તે જ સમયે, આ વિસ્ફોટનું કારણ શું હતું અને તેની પાછળનો હેતુ શું હતો તે હજુ સુધી સાચી અને સચોટ રીતે જાણી શકાયું નથી. આ વિસ્ફોટ પાછળ આતંકવાદી ષડયંત્ર હોવાની પણ આશંકા છે. રવિવારે સવારે થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.