Myanmar: મ્યાનમારની લોકશાહી તરફી નેતા આંગ સાન સૂ કીને માફ કરવામાં આવી છે. મ્યાનમારના ઓફિશિયલ મીડિયાએ મંગળવારે આ માહિતી આપી. મ્યાનમારના શાસક જંટાએ જેલમાં બંધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા આંગ સાન સૂ કી માટે માફીની જાહેરાત કરી છે. લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા રાષ્ટ્રપતિ વિન મિન્ટ પણ માફીનો ભાગ હશે. આ બંને નેતાઓ ફેબ્રુઆરી 2021ના બળવાથી જેલમાં છે. જન્ટાએ સુ કીને 19 ગુનામાં દોષિત ઠેરવ્યા છે, જેમાં કુલ 33 વર્ષની જેલની સજા થઈ છે.