Balasore train accident: નેશનલ ઇન્સ્યોરન્સ કંપની LIC એ શનિવારે બાલાસોર ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા માટે ઘણી છૂટછાટોની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે બે પેસેન્જર ટ્રેન અને ઊભેલી માલગાડી વચ્ચેના આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે અને 1,100થી વધુ લોકો ઘાયલ થયા છે. મોડી સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં, એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ પીડિતોના નજીકના સંબંધીઓ માટે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયામાં ઘણી છૂટછાટની જાહેરાત કરી હતી. મોહંતીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, "શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં થયેલી દુ:ખદ ટ્રેન દુર્ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. LIC અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે, કંપની નાણાકીય રાહત આપવા માટે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવશે. "



