Chandrayaan-3: ભારતના મહત્વાકાંક્ષી ત્રીજા ચંદ્ર મિશન હેઠળ, ચંદ્રયાન-3 એ બુધવારે એટલે કે 16 ઓગસ્ટના રોજ પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહની પાંચમી અને અંતિમ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. આ સાથે ચંદ્રયાન-3 હવે ચંદ્રની સપાટીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ કહ્યું કે આ સાથે ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે તે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે. ઈસરોએ કહ્યું કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડર મોડ્યુલને અલગ કરવાની યોજના છે.

