India-Qatar Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2025ના રોજ કતરના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે ફોન પર વાતચીત કરી અને દોહામાં ઇઝરાયલના તાજેતરના હુમલાઓ પર ગહન ચિંતા વ્યક્ત કરી. આ હુમલાઓ 9 સપ્ટેમ્બર 2025ના રોજ કતરની રાજધાની દોહામાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. PM મોદીએ કતરની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરી અને વિવાદોના નિરાકરણ માટે કૂટનીતિ અને સંવાદનો માર્ગ અપનાવવાની હિમાયત કરી.