મોંઘવારી વધવાથી સામાન્ય જનતા પરેશાન છે. તમામ ખાદ્ય પદાર્થોમાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે સામાન્ય લોકોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હવે વધતી મોંઘવારીમાં રાહત આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે ગુરુવારે ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા માટે માર્ચ 2025 સુધીમાં 25 લાખ ટન FCI ઘઉં બલ્ક લોકલ કસ્ટમર્સને વેચવાની જાહેરાત કરી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારના આ પગલાથી ઘઉંમાંથી બનેલી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થશે. આ ઘઉં સરકારની ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ વેચવામાં આવશે. તે સરકારની માલિકીની ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા સંચાલિત થાય છે, જે પુરવઠા અને કિંમતોને કંટ્રોલ કરે છે.
ઈ-ઓક્શન દ્વારા ઘઉંનું વેચાણ કરવામાં આવશે
OMSS હેઠળ ઘઉંની અનામત કિંમત વાજબી અને સરેરાશ ગુણવત્તા (FAQ) અનાજ માટે રુપિયા 2,325 પ્રતિ ક્વિન્ટલ અને URS (થોડી ઓછી ગુણવત્તાવાળા) અનાજ માટે રુપિયા 2,300 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, એમ ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. 31 માર્ચ, 2025 સુધી ઈ-ઓક્શન દ્વારા ઘઉંનું વેચાણ ખાનગી કંપનીઓને કરવામાં આવશે, જેમાં ફ્લોર મિલો, ઘઉંના ઉત્પાદન ઉત્પાદકો, પ્રોસેસર્સ અને અંતિમ વપરાશકારોનો સમાવેશ થાય છે. જો કે, સરકારે જથ્થાબંધ વપરાશકારોને FCI ઘઉંના વેચાણની શરૂઆતની તારીખ વિશે માહિતી આપી ન હતી. ગયા વર્ષે, FCI એ OMSS હેઠળ જથ્થાબંધ વપરાશકારોને 10 લાખ ટનથી વધુ ઘઉંનું વેચાણ કર્યું હતું.
ઓક્ટોબરમાં રિટેલ ફુગાવામાં ઉછાળો આવ્યો