Indian Railway: ભારતીય રેલ્વેમાં વિવિધ સેગમેન્ટમાં લગભગ 2.63 લાખ પોસ્ટ ખાલી છે. આ વાત ખુદ રેલવે મંત્રીએ કહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રેલવેમાં લગભગ 2,63,913 પોસ્ટ ખાલી છે. આ પોસ્ટ સમયાંતરે ભરવામાં આવે છે. રેલ્વેની આ જગ્યાઓ પર ભરતીનું કામ સતત ચાલે છે. લોકસભામાં રેલ્વે મંત્રીને પૂછવામાં આવ્યું કે શું તેઓ રેલ્વેમાં કર્મચારીઓની અછત વિશે જાણે છે અને જો તેઓ જાણતા હોય તો તે જણાવે.



