દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે જોહાનીસબર્ગ ખાતે યોજાયેલી બ્રિક્સ શીખર પરિષદની બહાર ટૂંકી મુલાકાત યોજાઈ હતી અને તેમાં પશ્ચિમ ક્ષેત્રમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પરના દળોને હટાવવાની કામગીરી ઝડપી બનાવવા માટેની સંમતિ સધાઈ હતી, એમ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું.
વડા પ્રધાન મોદીએ ચીનના વડા સાથેની મુલાકાતમાં ભારતની વણઉકેલાયેલા મુદ્દા પ્રતિ ભારતની ચિંતા પર વધુ પ્રકાશ પાડ્યો હતો, એમ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પત્રકારોને નવી દિલ્હી ખાતે જણાવ્યુ હતું.
આ સંબંધે બંને દેશોના વડાઓ સીમા પરના દળો ઘટાડવા માટેના પ્રયત્નોને ઝડપી બનાવવા તેમના સંબંધિત અધિકારીઓને આદેશ આપવા સંમત થયા છે, એમ વિદેશ સચિવે કહ્યુ હતું.