Ladakh Curfew and Tourism: લદ્દાખમાં કર્ફ્યૂથી પર્યટન ઠપ્પ, પ્રવાસીઓની હાલત દયનીય | Moneycontrol Gujarati
Get App

Ladakh Curfew and Tourism: લદ્દાખમાં કર્ફ્યૂથી પર્યટન ઠપ્પ, પ્રવાસીઓની હાલત દયનીય

Ladakh Curfew and Tourism: લદ્દાખમાં કર્ફ્યૂ અને ઇન્ટરનેટ બંધ થવાથી પર્યટન ઉદ્યોગ ઠપ્પ થયો છે. સોનમ વાંગચુકની ધરપકડ અને પ્રદર્શનોને કારણે પ્રવાસીઓ ફસાયા છે, ખાણી-પીણીની સમસ્યા વધી. વધુ જાણો આ ન્યૂઝમાં.

અપડેટેડ 11:40:50 AM Sep 30, 2025 પર
Story continues below Advertisement
24 સિપ્ટેમ્બરે લેહ એપેક્સ બોડી સાથે જોડાયેલા એક સંગઠને બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન થયેલી હિંસામાં 4 લોકોના મોત થયા અને 150થી વધુ લોકો ઘાયલ થયા.

Ladakh Curfew and Tourism: લદ્દાખનો પર્યટન ઉદ્યોગ હાલ ભારે મુશ્કેલીમાં છે. લેહમાં તાજેતરના પ્રદર્શનો અને જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડે સ્થિતિને વધુ ગંભીર બનાવી છે. અગાઉ એપ્રિલ 2025માં પહેલગામ હુમલા બાદ પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ 24 સિપ્ટેમ્બરે લેહમાં લાગેલા અનિશ્ચિત કાળના કર્ફ્યૂએ પર્યટનને પૂર્ણપણે ઠપ્પ કરી દીધું છે. આનાથી ઘણા પ્રવાસીઓ લેહમાં ફસાયા છે અને તેમને ખાણી-પીણી સહિતની મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

કર્ફ્યૂ અને હિંસાનો માહોલ

24 સિપ્ટેમ્બરે લેહ એપેક્સ બોડી સાથે જોડાયેલા એક સંગઠને બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન થયેલી હિંસામાં 4 લોકોના મોત થયા અને 150થી વધુ લોકો ઘાયલ થયા. સ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક વહીવટે કર્ફ્યૂ લાગુ કર્યો અને મોબાઇલ તથા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી. આનાથી પર્યટન ઉપરાંત સ્થાનિક વેપારને પણ ભારે નુકસાન થયું છે.

હોટેલ અને ટ્રાન્સપોર્ટ પર અસર

સ્થાનિક હોટેલ મેનેજર નસીબ સિંહના જણાવ્યા મુજબ, છેલ્લા એક સપ્તાહથી રોજ એડવાન્સ બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે. ખાદ્ય સામગ્રીની અછત પણ વધી રહી છે. તેમણે કહ્યું, “મારા 10 વર્ષના અનુભવમાં લેહમાં આવો માહોલ પહેલીવાર જોયો છે.” એ જ રીતે, ટ્રાન્સપોર્ટર રિગઝિન ડોર્જેએ જણાવ્યું કે, 22 એપ્રિલના પહેલગામ હુમલા બાદથી જ પર્યટન ખોરંભે ચડ્યું હતું. ઓપરેશન સિંદૂર બાદ પર્યટકો ધીમે-ધીમે પાછા ફરવા લાગ્યા હતા, પરંતુ તાજેતરની ઘટનાએ ફરી બધું બગાડી દીધું.


પ્રવાસીઓની મુશ્કેલી વધી

તાઇવાનથી આવેલી પ્રવાસી શીનાએ જણાવ્યું, “અમે લદ્દાખ ફરવાના આનંદની આશાએ આવ્યા હતા, પરંતુ અહીં બજારો બંધ છે અને ખાવાનું ખરીદવું પણ મુશ્કેલ બન્યું છે.” એક હોટેલ માલિકે કહ્યું કે, આ રીતે રોજનું અનિશ્ચિત વાતાવરણ હજારો પરિવારોની આવક છીનવી રહ્યું છે.

લદ્દાખનું પર્યટન, જે આ પ્રદેશની આર્થિક કરોડરજ્જૂ છે, તે હવે ભારે સંકટમાં છે. વહીવટીતંત્ર આ સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી શાંતિ અને સ્થિરતા પાછી નહીં આવે, ત્યાં સુધી પર્યટન ઉદ્યોગની આ મુશ્કેલીઓ ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો-RBIની મોટી જાહેરાત: હવે લોન લેવી થશે એકદમ સરળ, ગોલ્ડ લોનના નિયમોમાં પણ મોટા ફેરફાર!

MoneyControl News

MoneyControl News

First Published: Sep 30, 2025 11:40 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.