વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 1,123 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ પૂર્વોત્તરનું પ્રથમ એઈમ્સ (AIIMS) રાષ્ટ્રને સમર્પિત કરી. આ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ માત્ર આસામના લોકોને જ નહીં પરંતુ અન્ય પૂર્વોત્તર રાજ્યોને પણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. તેમણે નલબારી, નાગાંવ અને કોકરાઝાર ખાતે ત્રણ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કર્યું હતું. ત્રણ મેડિકલ કોલેજોમાં 24 અંડરગ્રેજ્યુએટ વિભાગો સાથેની 500 પથારીવાળી ટર્શિયરી કેર ટીચિંગ હોસ્પિટલ 100 વાર્ષિક MBBS વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે શરૂ થશે. જેના કારણે આસામમાં કુલ એમબીબીએસ વિદ્યાર્થીઓની સંખ્યા 1500 થઈ જશે.



