Gujarat News: રાજ્યના જીએડી વિભાગ દ્વારા આજે એક વિશેષ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સચિવાલયના કર્મચારીઓને સચિવાલયમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ લાંબુ ચક્કર કાપવું પડતું હતું. આ ચક્કરના પરિણામે કર્મચારીઓ કચેરીમાં મોડા પહોંચતા હોવાનું સરકારના ધ્યાન ઉપર આવ્યું હતું. સરકારના કર્મચારી મહામંડળ દ્વારા આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આવું ચક્કર કાપવાના પરિણામે કર્મચારીઓ મોડા પડી રહ્યા છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે અસરકારક રીતે કર્મચારીની હાજરીનું મોનિટરિંગ કરવા માટે દરવાજા પણ ખોલવાનો નિર્ણય કર્યો છે.