Dog Bite: 'શ્વાન કરડવાના કિસ્સામાં દરેક દાંતના નિશાન માટે 10,000 રૂપિયા આપો', હાઈકોર્ટનો મોટો નિર્ણય
Dog Bite: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ વિનોદ એસ ભારદ્વાજની ખંડપીઠે કહ્યું કે શ્વાન કરડવાના કેસમાં પીડિતોને શ્વાનના દરેક દાંતના નિશાન માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયા આપવામાં આવશે. શ્વાનના કરડવાથી ચામડી પર ઘા અથવા માંસના નુકશાનના કિસ્સામાં, 0.2 સેમી સુધીના ઘા માટે 20,000 રૂપિયાનું ન્યૂનતમ વળતર આપવામાં આવશે.
DOG BYTE: જસ્ટિસ વિનોદ એસ ભારદ્વાજની બેંચે કહ્યું કે શ્વાનના કરડવાના કેસમાં પીડિતોને શ્વાનના દરેક દાંતના નિશાન માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયા આપવામાં આવશે.
Dog Bite: દેશભરમાં શ્વાન કરડવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શ્વાન કરડવાની ઘટનાનો ભોગ બનેલા લોકો માટે 20,000 રૂપિયા સુધીનું વળતર નક્કી કર્યું છે. શ્વાન કરડવાના કિસ્સામાં, શ્વાનના દરેક દાંતના નિશાન માટે પીડિતોને 10,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.
જસ્ટિસ વિનોદ એસ ભારદ્વાજની બેંચે કહ્યું કે શ્વાનના કરડવાના કેસમાં પીડિતોને શ્વાનના દરેક દાંતના નિશાન માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયા આપવામાં આવશે. શ્વાનના કરડવાથી ચામડી પર ઘા અથવા માંસના નુકશાનના કિસ્સામાં, 0.2 સેમી સુધીના ઘા માટે 20,000 રૂપિયાનું ન્યૂનતમ વળતર આપવામાં આવશે.
હાઈકોર્ટે આ નિર્ણય ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાંથી શ્વાન કરડવા અંગેની 193 અરજીઓની સુનાવણીને ધ્યાનમાં રાખીને આપ્યો છે. દરમિયાન, કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્વાન કરડવાની ઘટનાઓ માટે કેસ નોંધવા માટે સમિતિઓની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે સરકારોએ પ્રાથમિકતાના ધોરણે જવાબદારી લેવી જોઈએ અને આ અંગે નિયમો બનાવવા જોઈએ.
શ્વાન કરડવાના કેસમાં વધારો
પંજાબના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શ્વાન કરડવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં શ્વાન કરડવાના 6,50,904 થી વધુ કેસ નોંધાયા છે. આ 6,50,904માંથી 1,65,119 છેલ્લા એક વર્ષમાં ઘાયલ થયા છે.
દરમિયાન, ચંદીગઢમાં શ્વાન કરડવાના કેસમાં 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. 2022માં ચંદીગઢમાં શ્વાન કરડવાના 5365 કેસ નોંધાયા હતા જ્યારે 2019માં આ સંખ્યા 18,378 હતી.
હરિયાણાના આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં રાજ્યમાં શ્વાન કરડવાના 11.04 લાખ કેસ નોંધાયા છે. અંબાલા (1.54 લાખ), જીંદ (1.43 લાખ) અને રોહતક (1.21 લાખ)માં શ્વાન કરડવાના સૌથી વધુ કેસ નોંધાયા હતા.
તમને જણાવી દઈએ કે દેશભરમાં રખડતા શ્વાનના કરડવાના કેસમાં ભારે વધારો થયો છે. ઘણા કિસ્સાઓમાં પીડિતોના મોત પણ થયા છે. આવી સ્થિતિમાં શ્વાન કરડવાની ઘટનાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.