ITR: આવકવેરા વિભાગ ટેક્સ રિફંડ મેળવવા માટે પ્રક્રિયાના સમયને ઘટાડવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ટેક્સ વિભાગ ટેક્સ રિફંડનો સમય 16 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવી સમય મર્યાદા ચાલુ નાણાકીય વર્ષથી જ લાગુ થશે.