ટોલ પ્લાઝા પર લાઈનોની ઝંઝટ ખતમ! સુરતમાં શરૂ થયું દેશનું પહેલું ‘બેરિયર-ફ્રી’ ટોલિંગ સિસ્ટમ, હવે ગાડી થોભાવ્યા વગર જ કપાશે ટેક્સ
Barrier-free toll system Surat: NHAI એ ગુજરાતના સુરતમાં દેશનું પહેલું બેરિયર-ફ્રી ટોલિંગ સિસ્ટમ શરૂ કર્યું છે. હવે વાહનોને ટોલ પર ઊભા રહેવાની જરૂર નથી, 100 kmphની ઝડપે પણ ઓટોમેટિક ટેક્સ કપાશે. જાણો કેવી રીતે કામ કરે છે આ નવી ટેકનોલોજી.
Barrier-free toll system Surat: NHAI એ ગુજરાતના સુરતમાં દેશનું પહેલું બેરિયર-ફ્રી ટોલિંગ સિસ્ટમ શરૂ કર્યું છે.
Barrier-free toll system Surat: ભારતના હાઈવે પર મુસાફરી કરનારા લોકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી લાઈનો અને સમયનો બગાડ હવે ભૂતકાળ બની જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ગુજરાતના સુરતમાં દેશનું સૌપ્રથમ ‘બેરિયર-ફ્રી’ ટોલિંગ સિસ્ટમ સત્તાવાર રીતે કાર્યરત કરી દીધું છે. આ નવી ટેકનોલોજીને કારણે હવે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.
શું છે આ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ?
સુરત પાસે નેશનલ હાઈવે-48 (NH-48) પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે આ અત્યાધુનિક મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈ પણ પ્રકારના બેરિયર (આડા અવરોધ) રાખવામાં આવ્યા નથી. એટલે કે, વાહન ચાલકોએ ટોલ ચૂકવવા માટે ગાડી ઉભી રાખવાની કે ધીમી પાડવાની બિલકુલ જરૂર નથી.
80થી 100ની સ્પીડમાં પણ કપાશે ટોલ
અત્યાર સુધી ફાસ્ટટેગ (FASTag) હોવા છતાં સેન્સર સ્કેન કરી શકે તે માટે વાહનોએ બેરિયર પાસે થોભવું પડતું હતું. પરંતુ ચોર્યાસી ટોલ પ્લાઝા પર હવે આ ઝંઝટ દૂર થઈ ગઈ છે. અહીં જો ગાડી 80 થી 100 kmph ની ઝડપે પસાર થશે, તો પણ તેમાં લાગેલા સ્માર્ટ સેન્સર્સ અને કેમેરા વાહનને ઓળખી લેશે અને ટોલની રકમ આપમેળે ખાતામાંથી કપાઈ જશે. આનાથી પીક અવર્સમાં થતો ટ્રાફિક જામ સંપૂર્ણપણે નાબૂદ થશે.
આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
બેરિયર-લેસ સિસ્ટમમાં રસ્તાની ઉપર લોખંડના ઊંચા સ્ટ્રક્ચર (Gantry) બનાવવામાં આવ્યા છે, જેના પર હાઈ-ટેક કેમેરા અને સેન્સર્સ લગાવેલા છે.
FASTag સ્કેનિંગ: જ્યારે ગાડી ગૅન્ટ્રી નીચેથી પસાર થાય છે, ત્યારે સેન્સર તરત જ ફાસ્ટટેગ રીડ કરી લે છે.
ANPR ટેકનોલોજી: જો કોઈ ગાડી પર ફાસ્ટટેગ નથી, તો હાઈ-સ્પીડ કેમેરા તેની નંબર પ્લેટ વાંચી લે છે (Automatic Number Plate Recognition). આના દ્વારા માલિકના ખાતામાંથી પૈસા કપાય છે અથવા ઓનલાઈન ચલણ જનરેટ થાય છે.
વાહન ચાલકોને થતા ફાયદા:
સમયની બચત: ટોલ પર લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જેથી મુસાફરી ઝડપી બનશે.
તણાવમુક્ત મુસાફરી: ટ્રાફિક જામ અને હોર્નના અવાજથી મુક્તિ મળશે.
NHAIના અધિકારીએ શું કહ્યું?
NHAI ના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) અમિત રંજન ચિત્રાંશીએ જણાવ્યું હતું કે, "આ સિસ્ટમમાં વાહનોને રોકવાની જરૂર પડતી નથી. વાહન ગૅન્ટ્રી નીચેથી પસાર થશે અને ટોલ વસૂલવામાં આવશે." તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે ટોલના નિયમોમાં કોઈ ફેરફાર થયો નથી. નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 મુજબ જ તમામ ટેક્સ અને ડિસ્કાઉન્ટ લાગુ રહેશે, માત્ર વસૂલાતની પદ્ધતિ આધુનિક બની છે.
#WATCH | Surat, Gujarat: Amit Ranjan Chitranshi, Chief Operating Officer (COO) at National Highways Authority of India (NHAI), says, "This barrier-less tolling system, also known as multi-lane freeflow, doesn't require vehicles to stop. There are no barriers. Vehicles will pass… https://t.co/tDtHxwBjh6pic.twitter.com/c4wu6EBonY
સુરતમાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે માઈલસ્ટોન સાબિત થશે. સરકારનો લક્ષ્ય છે કે આગામી સમયમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા વ્યસ્ત માર્ગો પર પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવે. ભવિષ્યમાં ફિઝિકલ ટોલ બૂથ હટાવીને GPS આધારિત અને બેરિયર-લેસ ટોલિંગ દ્વારા જ વસૂલાત કરવાની યોજના છે.
સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝાથી શરૂ થયેલી આ પહેલ ડિજિટલ ઈન્ડિયાની દિશામાં એક મોટું કદમ છે. હવે હાઈવે પરનો પ્રવાસ માત્ર ઝડપી જ નહીં, પણ વધુ સ્મૂધ અને આરામદાયક બનશે. જો આ મોડેલ સફળ રહેશે, તો ટૂંક સમયમાં ગુજરાત અને દેશના અન્ય હાઈવે પર પણ આપણને બેરિયર મુક્ત રસ્તાઓ જોવા મળશે.