PAN AADHAR LINK: જો કોઈ વ્યક્તિનું PAN આધાર સાથે લિંક નથી, તો તેનો PAN 'નિષ્ક્રિય'ની શ્રેણીમાં આવે છે. એક નિષ્ક્રિય PAN એ આવકવેરાના નિયમો અનુસાર PAN ન ધરાવતી વ્યક્તિ સમાન છે. તેથી, વ્યક્તિ PAN વિગતો પ્રોવાઇડ કર્યા વિના બેન્ક એકાઉન્ટ ખોલવા, બેન્ક FDમાં રોકાણ વગેરે કરી શકશે નહીં. જો તમારું હાલનું PAN નિષ્ક્રિય કરવામાં આવ્યું છે, તો બેન્કિંગ ટ્રાજેક્શનને લઈને તમારા મગજમાં ઘણા પ્રશ્નો આવી શકે છે? ઉદાહરણ તરીકે, શું નિષ્ક્રિય PAN બેન્ક એકાઉન્ટમાં પગારની ક્રેડિટને અસર કરશે? શું આનાથી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જારી કરવા અથવા તેના ઉપયોગને અસર થશે?