PM Kisan 13th Installment: સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન યોજના હેઠળ નાણાં ટ્રાન્સફર કરે છે. મોદી સરકાર વાર્ષિક 3 હપ્તામાં 6,000 રૂપિયા એટલે કે 2,000 રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકારે થોડા દિવસ પહેલા જ ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ટ્રાન્સફર કર્યો છે. હજુ પણ કેટલાક ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો નથી કારણ કે ખેડૂતોએ કેટલીક ભૂલો કરી છે. જો તમે સમયસર તમારી ભૂલો સુધારી લો તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે.
એકાઉન્ટમાં આવશે 4,000 રૂપિયા
જો તમારો 12મો હપ્તો E-KYCને કારણે અટકી ગયો હોય, તો તમને 12મા અને 13મા હપ્તાના પૈસા મળશે. એટલે કે 4,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. જો ફક્ત 13મો હપ્તો અટક્યો હોય, તો તમારા બેંક ખાતામાં 2,000 રૂપિયા આવશે.
જો ખેડૂતોને હજુ પણ તેમના હપ્તા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે તમારી નજીકની કૃષિ વિભાગની ઓફિસમાં જઈ શકો છો. પીએમ કિસાન યોજના વિશે ફરિયાદ કરવા માટે, તમે સત્તાવાર મેઇલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકો છો. સરકારે ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર 1800-115-5266 અથવા 155261 પણ આપ્યો છે. આ ઉપરાંત ખેડૂતો ટોલ ફ્રી નંબર 011-24300606, 23382401, 23381092 પર પણ કોલ કરી શકે છે.