મુસાફરીને સરળ અને આરામદાયક બનાવવા માટે રેલવે દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આવી અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં વેઈટિંગ ટિકિટના કારણે રિઝર્વેશન બોગીમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હવે આના પર કડક બનવા માટે રેલવેએ વેઈટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર, ફક્ત કન્ફર્મ રિઝર્વેશન ધરાવતા મુસાફરો જ રિઝર્વેશન કોચમાં મુસાફરી કરી શકશે.



