તમારા મહેનતથી મેળવેલા નાણાંને સિક્યોર રાખવા માટે બેન્કો કરતાં વધુ વિશ્વસનીય સ્થળ બીજું કોઈ નથી. બેન્કમાં નાણાં જમા કરવાથી તેમની સલામતી તો થાય જ છે, સાથે જ તમને જમા રકમ પર વ્યાજ પણ પ્રાપ્ત થાય છે. બચત ખાતાઓમાં રાખેલા નાણાં પર અલગ-અલગ બેન્કો દ્વારા આપવામાં આવતા વ્યાજના દરો પણ જુદા હોઈ શકે છે. દેશમાં બેન્કિંગ સેવાઓ આપતી તમામ બેન્કો ભારતીય રિઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. RBI બેન્કોની કામગીરી પર નજર રાખે છે, જેથી સામાન્ય લોકોના નાણાં સુરક્ષિત રહે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે જે બેન્કમાં પૈસા રાખ્યા છે તે નાદાર થઈ જાય તો તેમાં જમા થયેલા નાણાંનું શું થશે?



