સામાન્ય બજેટ 2023 રજૂ કરતા, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મહિલાઓને ધ્યાનમાં રાખીને નવી યોજના મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) શરૂ કરવાની જાહેરાત કરી. ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. મોટાભાગની પોસ્ટ ઓફિસ યોજનાઓમાં, જમાકર્તાઓને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર કપાતનો લાભ મળે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એવો સવાલ છે કે શું મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) અપનાવ્યા પછી પણ ટેક્સનો લાભ મળી શકશે કે નહીં? ચાલો જાણીએ તેનાથી સંબંધિત તમામ માહિતી.
આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકાય
તમે કોઈપણ પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) યોજના માટે અરજી કરી શકો છો. નાણા મંત્રાલયે આ યોજના માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ યોજના દેશભરની 1.59 લાખ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. તમે તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજના માટે ખાતું ખોલાવી શકો છો.
MSSCમાં ટેક્સ બેનિફિટ મળશે
નાણા મંત્રાલયે, 5 એપ્રિલ, 2023 ના રોજ જારી કરાયેલ એક સૂચના દ્વારા ક્લીયર કર્યું છે કે આ યોજના હેઠળના રોકાણો આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ માટે પાત્ર નથી. મતલબ કે તમારે તેના પર મળનારા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. જો તમે આ સ્કીમમાં જ રોકાણ કર્યું હોય તો તમારો TDS કપાય તેવી કોઈ શક્યતા નથી.