Budget 2026: આગામી સામાન્ય બજેટમાં દેશના વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે સરકાર ખુશખબર લઈને આવી શકે છે. કોરોનાકાળ દરમિયાન માર્ચ 2020માં રેલવે ટિકિટ પર વડીલોને મળતી જે સબસિડી બંધ કરવામાં આવી હતી, તેને સરકાર ફરીથી પુનઃસ્થાપિત કરે તેવી પ્રબળ શક્યતા છે.
નાણાં મંત્રાલયને મોકલાયો પ્રસ્તાવ
પહેલા કેટલું મળતું હતું ડિસ્કાઉન્ટ?
ભારતીય રેલવે દાયકાઓથી વરિષ્ઠ નાગરિકોને ટિકિટ ભાડામાં સીધી રાહત આપતી હતી. કોવિડ પહેલાના નિયમો મુજબ
પુરુષ મુસાફરો: ભાડામાં 40% ની છૂટ મળતી હતી.
મહિલા મુસાફરો: ભાડામાં 50% સુધીની છૂટ મળતી હતી.
આ લાભ સ્લીપર, થર્ડ AC, સેકન્ડ AC અને ફર્સ્ટ AC સહિતના તમામ ક્લાસમાં મળતો હતો. આ માટે કોઈ અલગ કાર્ડની જરૂર પડતી ન હતી, માત્ર ટિકિટ બુકિંગ વખતે ઉંમર દર્શાવવાની રહેતી હતી.
કેમ બંધ કરવામાં આવી હતી સુવિધા?
માર્ચ 2020માં કોરોના મહામારીને કારણે રેલવેને થયેલા ભારે આર્થિક નુકસાનને સરભર કરવા માટે આ છૂટને 'કામચલાઉ' ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. તે સમયે તર્ક અપાયો હતો કે આ છૂટને કારણે રેલવે પર વાર્ષિક આશરે 1,600 થી 2,000 કરોડ રૂપિયાનો બોજ પડે છે. હવે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ટ્રેનો પૂરી ક્ષમતાથી દોડી રહી છે, ત્યારે મુસાફરો ફરીથી આ રાહતની આશા રાખી રહ્યા છે.