Dividend Stock: દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની કંપની વેદાંતા તેના રોકાણકારોને ફરી એકવાર ડિવિડન્ડ આપવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2024-25 માટે કંપની દ્વારા આપવામાં આવેલ આ ચોથું વચગાળાનું ડિવિડન્ડ હશે. વેન્ડાટા લિમિટેડે 11 ડિસેમ્બર, બુધવારના રોજ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, સોમવાર, 16 ડિસેમ્બરના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ડિવિડન્ડ અંગે પણ વિચારણા કરવામાં આવશે. જો બેઠકમાં ડિવિડન્ડ અંગે કંઈ નક્કી કરવામાં આવશે તો તેની જાહેરાત 16મી ડિસેમ્બરે કરવામાં આવશે.

