આજના અક્ષય તૃતીયાના શુભ અવસર પર ભારતના આભૂષણ બજારમાં સોના અને ચાંદીની ખરીદીમાં મિશ્ર રુખ જોવા મળી શકે છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આ અંગે માહિતી આપી હતી. કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, અખિલ ભારતીય આભૂષણ અને સ્વર્ણકાર મહાસંઘના અધ્યક્ષ પંકજ અરોરાએ 30 એપ્રિલે ઉજવાતા હિન્દુ તહેવાર અક્ષય તૃતીયા પર 16,000 કરોડ રૂપિયાના વેપારનો અંદાજ વ્યક્ત કર્યો છે.