શેરબજારના રોકાણકારો માટે ખુશખબર: SEBI ના નવા SIF ફંડમાં લોન્ચ થતાં જ 13,800 કરોડથી વધુનું રોકાણ, જાણો શું છે આ સ્કીમ? | Moneycontrol Gujarati
Get App

શેરબજારના રોકાણકારો માટે ખુશખબર: SEBI ના નવા SIF ફંડમાં લોન્ચ થતાં જ 13,800 કરોડથી વધુનું રોકાણ, જાણો શું છે આ સ્કીમ?

શેરબજારના રોકાણકારોમાં SEBI નો નવો સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ લોકપ્રિય બન્યો છે. લોન્ચ થતા જ તેમાં 13,800 કરોડનું રોકાણ આવ્યું છે. જાણો આ ફંડના ફાયદા, નિયમો અને લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 04:47:16 PM Jul 03, 2026 પર
Story continues below Advertisement
આ એક નવો એડવાન્સ રોકાણ વિકલ્પ છે, જેને SEBI એ ફેબ્રુઆરી 2026 માં લોન્ચ કર્યો હતો. તેનો મુખ્ય હેતુ સામાન્ય મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે.

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા અને સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા શરૂ કરવામાં આવેલ નવો સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

આ નવા ફંડને શરૂ થયાને હજુ થોડા જ મહિના થયા છે, છતાં તેમાં રોકાણકારોએ 13,800 કરોડ રૂપિયાથી વધુનું જંગી રોકાણ કરી દીધું છે. SEBIના આંકડા મુજબ, 31 મે 2026 સુધીમાં SIF નું એસેટ અંડર મેનેજમેન્ટ 13,500 કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું અને તેમાં 56,000 થી વધુ રોકાણકારોના ખાતા જોડાઈ ચૂક્યા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે મોટા રોકાણકારો આ નવા વિકલ્પ તરફ કેટલી ઝડપથી આકર્ષાઈ રહ્યા છે.

શું છે સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ?

આ એક નવો એડવાન્સ રોકાણ વિકલ્પ છે, જેને SEBI એ ફેબ્રુઆરી 2026 માં લોન્ચ કર્યો હતો. તેનો મુખ્ય હેતુ સામાન્ય મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે. આ ફંડ ખાસ કરીને એવા રોકાણકારો માટે બનાવવામાં આવ્યો છે જેઓ થોડું વધુ રિસ્ક લઈને વધુ સારું રિટર્ન મેળવવાની ઈચ્છા ધરાવે છે. SIF માં રોકાણ કરવા માટે ઓછામાં ઓછી 10 લાખ રૂપિયાની રકમ હોવી જરૂરી છે.આ ફંડમાં મેનેજર્સ ડેરિવેટિવ્ઝ, લોંગ-શોર્ટ સ્ટ્રેટેજી અને હેજિંગ જેવી આધુનિક અને એડવાન્સ ટેક્નિકનો ઉપયોગ કરી શકે છે.

કઈ સ્ટ્રેટેજીમાં થયું છે સૌથી વધુ રોકાણ?


SEBI ના પૂર્ણકાલીન સભ્ય અમરજીત સિંહે જણાવ્યું કે, અત્યાર સુધીમાં SIF હેઠળ 21 અલગ-અલગ રોકાણની સ્ટ્રેટેજી શરૂ કરવામાં આવી છે. આ પૈકી હાઈબ્રિડ લોંગ શોર્ટ સ્ટ્રેટેજીમાં રોકાણકારોએ સૌથી વધુ પૈસા લગાવ્યા છે. આ દર્શાવે છે કે રોકાણકારો હવે ટ્રેડિશનલ ફંડ્સ છોડીને નવા અને સ્માર્ટ રોકાણ વિકલ્પો શોધી રહ્યા છે.

રોકાણકારો માટે સેબીની મહત્વની સલાહ

અમરજીત સિંહે સ્પષ્ટ સલાહ આપી છે કે માત્ર સોશિયલ મીડિયા પર દેખાતા ઊંચા રિટર્નની લાલચમાં કે FOMOના કારણે ક્યારેય રોકાણનો નિર્ણય ન લેવો જોઈએ. રોકાણ હંમેશા તમારા આર્થિક લક્ષ્યો, રિસ્ક લેવાની તમારી ક્ષમતા અને રોકાણના સમયગાળાને ધ્યાનમાં રાખીને જ કરવું જોઈએ. લાંબા ગાળે યોગ્ય 'એસેટ એલોકેશન' જ સંપત્તિ ઊભી કરવાનો સાચો અને સુરક્ષિત રસ્તો છે.

ડિસ્ટ્રીબ્યુટર્સ માટે પણ આવી રહી છે નવી સિસ્ટમ

SEBI અને NISM સાથે મળીને એક નવી કમ્બાઈન્ડ સર્ટિફિકેટ એક્ઝામ તૈયાર કરી રહ્યા છે. આ વ્યવસ્થા લાગુ થયા પછી, ડિસ્ટ્રીબ્યુટર્સ એક જ સર્ટિફિકેટથી મ્યુચ્યુઅલ ફંડ અને SIF બંને પ્રોડક્ટ્સ વેચી શકશે. આનો સીધો ફાયદો રોકાણકારોને થશે, કારણ કે તેમને બજારમાં યોગ્ય અને ટ્રેન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ મળશે જેઓ સાચી માહિતી પૂરી પાડી શકશે.

આ પણ વાંચો- Closing Bell: નિફ્ટી 24250ની પાર બંધ, IT અને ફાર્મા શેરોની ચમકથી સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 03, 2026 4:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.