Get App

HDFC Bankના શેરમાં 3%નો આકર્ષક ઉછાળો: ચાર દિવસના કડાકા બાદ રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ, જાણો શું છે તે મોટી જાહેરાત

HDFC Bank Share Price: HDFC Bank ના શેરમાં સતત 4 દિવસના ઘટાડા બાદ આજે 3% નો ઉછાળો જોવા મળ્યો છે. અતાનુ ચક્રવર્તીનું રાજીનામું અને કર્મચારીઓની હકાલપટ્ટી વચ્ચે બેંકે શું ખુલાસો કર્યો? જાણો અહીં.

MoneyControl Newsઅપડેટેડ Mar 24, 2026 પર 9:49 AM
HDFC Bankના શેરમાં 3%નો આકર્ષક ઉછાળો: ચાર દિવસના કડાકા બાદ રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ, જાણો શું છે તે મોટી જાહેરાતHDFC Bankના શેરમાં 3%નો આકર્ષક ઉછાળો: ચાર દિવસના કડાકા બાદ રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ, જાણો શું છે તે મોટી જાહેરાત
HDFC Bank Share Price: HDFC Bankના શેરમાં સતત 4 દિવસના ઘટાડા બાદ આજે 3%નો ઉછાળો જોવા મળ્યો છે.

HDFC Bank Share Price: શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી જે રોકાણકારો HDFC Bank ના શેરના કડાકાથી ચિંતિત હતા, તેમના માટે આજે સારા સમાચાર આવ્યા છે. ખાનગી ક્ષેત્રની આ સૌથી મોટી બેંકના શેરમાં આજે શરૂઆતી કારોબારમાં જ 3% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસમાં આ શેરમાં 12% જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ આજે બેંક દ્વારા કરવામાં આવેલી એક મહત્વની જાહેરાતે બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જગાવ્યું છે.

અત્યારે શેરની સ્થિતિ પર નજર કરીએ તો, BSE પર આ શેર લગભગ 1.89% ના વધારા સાથે 757.80 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે દિવસ દરમિયાન તે 3.23% ઉછળીને 767.75 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ગઈકાલે જ આ શેર તેના એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જેના પછી આજે મળેલી આ રિકવરી ઘણી મહત્વની માનવામાં આવે છે.

શા માટે વધી રહ્યા છે HDFC Bankના ભાવ?

બેંકે એક્સચેન્જ ફાઇલિંગમાં એક મોટો ખુલાસો કર્યો છે. બેંકે જણાવ્યું છે કે પાર્ટ ટાઈમ ચેરમેન અતાનુ ચક્રવર્તીના રાજીનામાના મામલે એક એક્સટર્નલ લો ફર્મને જવાબદારી સોંપવામાં આવી છે. આ લો ફર્મ સમગ્ર મામલે તપાસ કરીને બેંકને પોતાનો રિપોર્ટ સોંપશે.

યાદ અપાવી દઈએ કે, અતાનુ ચક્રવર્તીએ 18 માર્ચ 2026 ના રોજ બોર્ડ સાથેના મતભેદોને કારણે રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં બેંકની અંદર કેટલીક એવી ઘટનાઓ બની છે જે તેમના અંગત મૂલ્યો અને નૈતિકતા સાથે બંધ બેસતી નથી. આ ગંભીર આરોપોને કારણે જ શેરના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું.

ત્રણ કર્મચારીઓને કેમ છૂટા કરવામાં આવ્યા?

શેરમાં ઘટાડાનું બીજું મુખ્ય કારણ ત્રણ સિનિયર કર્મચારીઓની હકાલપટ્ટી પણ હતું. બેંકે દુબઈ રેગ્યુલેટરી નોટિસ સાથે જોડાયેલી તપાસ બાદ સંપત કુમાર (ગ્રુપ હેડ), હર્ષ ગુપ્તા (EVP) અને પાયલ મંધ્યાન (SVP) ને બરતરફ કર્યા છે. આ મામલો ક્રેડિટ સુઈસના AT-1 બોન્ડ્સના ખોટા વેચાણ સાથે જોડાયેલો છે. આ તપાસ જાન્યુઆરી 2025 થી ચાલી રહી હતી અને અંતે 9 માર્ચની બેઠકમાં તેમની સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો