ચીન અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધે ભારત માટે એક મોટી તક ઊભી કરી છે. ભારત હવે ચીનને રાઈની ખલ (રેપસીડ મીલ)નું નિકાસ કરીને લગભગ 1000 કરોડ રૂપિયાનો લાભ મેળવી શકે છે. આ નિકાસથી ભારતના ખેડૂતોને પણ ફાયદો થશે, કારણ કે તેમની આવકમાં વધારો થશે અને રાઈના ભાવને ટેકો મળશે.