Basmati Rice Export: ઈરાનમાં સર્જાયેલા આંતરિક સંકટ અને વિરોધ પ્રદર્શનોની સીધી અસર હવે ભારતના કૃષિ નિકાસ પર જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતના બાસમતી ચોખાના નિકાસકારો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ત્યાંથી નવા ઓર્ડર મળવાના બંધ થઈ ગયા છે, તો બીજી તરફ અગાઉ મોકલેલા માલના આશરે 2,000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પણ અટવાઈ ગઈ છે. આ અનિશ્ચિતતાને કારણે ભારતીય બજારમાં બાસમતી ચોખાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.

