હવે 9 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરશે. મગફળી સહિતના ખેડૂતો માટે રાહતનો સમાચાર આવ્યા છે. અંતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની નવી તારીખ જાહેર કરી છે. કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું.


હવે 9 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરશે. મગફળી સહિતના ખેડૂતો માટે રાહતનો સમાચાર આવ્યા છે. અંતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની નવી તારીખ જાહેર કરી છે. કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું.
જેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ ન હતી. હવે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા મગફળીનો મણનો ટેકાનો ભાવ 1400 રૂપિયા જાહેર કરાયો છે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે, ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરાશે. જરુર જણાશે તો વધુ કેન્દ્રો ખોલાશે.. ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રુપિયાનો વધારો કરાયો છે.
બીજી તરફ પાક નુકસાનીનું સહાય પેકેજ ટૂંક સમયમાં જ જાહેર કરવાની પણ વાઘાણીએ ખાતરી આપી. રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાક નુકશાન થયું હોવાનો દાવો કર્યો.16 હજાર ગામોમાં કમોસમી વરસાદથી નુકશાન થયું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.