H3N2 Virus: કોરોના વાયરસની મહામારીમાંથી હવે રાહત દેખાઈ રહી છે. પરંતુ હવે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ ફરીથી દેશવાસીઓનું ટેન્શન વધારી દીધું છે. થોડા મહિનાઓથી શરદી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસ હવે જીવલેણ પણ બની રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. બીમારીના કારણે ડૉક્ટર પાસે જતા 10માંથી 6 બાળકોમાં આ ફ્લૂના લક્ષણો દેખાય છે. ભારત આ દિવસોમાં મોસમી રોગોની લહેર સામે લડી રહ્યું છે. છેલ્લા 2 મહિનામાં H3N2 કેસમાં ઝડપથી વધારો થયો છે.

