ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન (AI171) ટેકઓફ બાદ થોડી જ મિનિટોમાં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. આ દુઃખદ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી 241 લોકોનું મોત થયું. આ હાદસામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા વિજય રૂપાણીનું પણ નિધન થયું. એકમાત્ર બચેલા વ્યક્તિ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.