Amoebic Meningoencephalitis: કેરળમાં અમીબિક મેનિન્ગોએન્સેફલાઇટિસ (PAM) નામની ગંભીર બીમારીએ લોકોમાં ભય ફેલાવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આ બીમારીના 67 કેસ નોંધાયા છે, જેમાંથી 18 લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)એ આ બીમારી પર નજર રાખવા માટે દિલ્હી-એનસીઆરના મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને અલર્ટ જારી કર્યું છે.

