ભારતીય નૌકાદળની દરિયાઈ તાકાતમાં મોટો વધારો થયો છે. રવિવારે 21 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા ખાતેથી 3 નવા અને અત્યાધુનિક યુદ્ધજહાજ નૌકાદળને સોંપ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જે દેશની દરિયાઈ તાકાત મજબૂત હોય છે, તેનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ પણ એટલો જ શક્તિશાળી હોય છે. આપણો દેશ આ વાત બરાબર સમજે છે અને એટલે જ પોતાની દરિયાઈ સુરક્ષા અકબંધ રાખવા માટે સતત તૈયારીઓ કરી રહ્યો છે.

