Get App

પીએમ મોદીએ ભારતીય નૌકાદળને સોંપ્યા 3 નવા યુદ્ધજહાજ, કહ્યું- 'દરિયાઈ તાકાત વધશે તો દેશની આર્થિક શક્તિ પણ વધશે'

પીએમ મોદીએ 21 જૂને ભારતીય નૌકાદળમાં 3 નવા સ્વદેશી યુદ્ધજહાજ - દૂનાગિરિ, સંશોધક અને અગ્રયનો સમાવેશ કર્યો. ભારત કેવી રીતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે તે જાણો.

MoneyControl Newsઅપડેટેડ Jun 21, 2026 પર 1:04 PM
પીએમ મોદીએ ભારતીય નૌકાદળને સોંપ્યા 3 નવા યુદ્ધજહાજ, કહ્યું- 'દરિયાઈ તાકાત વધશે તો દેશની આર્થિક શક્તિ પણ વધશે'પીએમ મોદીએ ભારતીય નૌકાદળને સોંપ્યા 3 નવા યુદ્ધજહાજ, કહ્યું- 'દરિયાઈ તાકાત વધશે તો દેશની આર્થિક શક્તિ પણ વધશે'
છેલ્લા થોડા વર્ષોના આંકડા જોઈએ તો 40 થી વધુ મેડ-ઇન-ઇન્ડિયા યુદ્ધજહાજ અને સબમરીન ભારતીય નૌકાદળનો હિસ્સો બની ચૂક્યા છે.

ભારતીય નૌકાદળની દરિયાઈ તાકાતમાં મોટો વધારો થયો છે. રવિવારે 21 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા ખાતેથી 3 નવા અને અત્યાધુનિક યુદ્ધજહાજ નૌકાદળને સોંપ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જે દેશની દરિયાઈ તાકાત મજબૂત હોય છે, તેનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ પણ એટલો જ શક્તિશાળી હોય છે. આપણો દેશ આ વાત બરાબર સમજે છે અને એટલે જ પોતાની દરિયાઈ સુરક્ષા અકબંધ રાખવા માટે સતત તૈયારીઓ કરી રહ્યો છે.

નૌકાદળમાં જોડાયા 3 સ્વદેશી યુદ્ધજહાજ

પીએમ મોદીએ જે ત્રણ જહાજો નૌકાદળમાં સામેલ કર્યા છે, તેમાં સ્ટીલ્થ ફ્રિગેટ 'દૂનાગિરિ' સર્વેક્ષણ જહાજ 'સંશોધક' અને સબમરીનનો ખાતમો બોલાવતા યુદ્ધજહાજ અગ્રયનો સમાવેશ થાય છે. આ ત્રણેય જહાજો સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવ્યા છે, જે દેશ માટે ગર્વની વાત છે. વડાપ્રધાને યાદ અપાવ્યું કે અગાઉ આપણે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત દ્વારા આપણી ક્ષમતા આખી દુનિયાને બતાવી હતી.

ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે માત્ર અન્ય દેશોનું માર્કેટ કે ખરીદનાર બનીને રહેવા નથી માંગતું. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, "જ્યારે આપણે મેકર બનીશું, ત્યારે જ આપણે સાચા અર્થમાં ડિસિઝન-મેકર  બની શકીશું."

બધા સમાચાર

+ વધુુ વાંચો