ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171ની ભયાનક દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી 241 લોકોનાં મોત થયાં, જ્યારે 40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર વ્યક્તિ છે જે આ આગના ગોળામાંથી જીવતા બહાર નીકળ્યા. હવે તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ આગની જ્વાળાઓમાંથી ચાલતા બહાર આવતા જોવા મળે છે. આ દૃશ્ય ખરેખર કોઈ ચમત્કારથી ઓછું નથી.