ઘડિયાળ અને કપડાંથી થઈ ઓળખ દુર્ઘટના એટલી ભીષણ હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારના નિધનના સમાચારથી રાજકીય જગત સ્તબ્ધ છે. આજે સવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના થોડા સમય પહેલાની તેમની એક તસવીર સામે આવી છે, જે હવે તેમની 'આખરી તસવીર' બનીને રહી ગઈ છે.
બોડીગાર્ડ સાથેની છેલ્લી તસવીર વાયરલ અજિત પવાર આજે મુંબઈથી બારામતી એક જનસભામાં સંબોધન કરવા માટે નીકળ્યા હતા. સામે આવેલી તસવીરમાં તેઓ વિમાનમાં પોતાના બોડીગાર્ડ સાથે બેઠેલા જોવા મળે છે. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, આ તસવીર પ્લેન ટેક-ઓફ થયું તેની મિનિટો પહેલાની જ છે. કોઈને કલ્પના પણ નહોતી કે આ તેમની છેલ્લી ઉડાન સાબિત થશે.
છેલ્લી 36 મિનિટની કરૂણ કહાની
સવારે 8:10 અજિત પવારના વિમાને મુંબઈથી ઉડાન ભરી.
સવારે 8:32 વિમાન પુણેના રસ્તે બારામતી તરફ જતું દેખાયું.
સવારે 8:35 વિમાન બારામતી પહોંચ્યું, પરંતુ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે પાયલટે લેન્ડિંગ ટાળ્યું.
સવારે 8:46 (દુર્ઘટના)
પાયલટે એક મોટો લૂપ લઈ 10 મિનિટ બાદ ફરી રનવે-11 પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને એક ચટ્ટાન સાથે અથડાયું અને તેના ત્રણ ટુકડા થઈ ગયા. અથડામણ થતાની સાથે જ પ્લેન આગના ગોળામાં ફેરવાઈ ગયું.
ઘડિયાળ અને કપડાંથી થઈ ઓળખ દુર્ઘટના એટલી ભીષણ હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. અજિત પવારની ઓળખ તેમના હાથની ઘડિયાળ અને કપડાં પરથી કરવામાં આવી હતી. આ ચાર્ટર પ્લેનમાં અજિત પવાર ઉપરાંત તેમના PSO વિદીપ જાધવ, પાયલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન શાંભવી પાઠક અને ફ્લાઈટ એટેન્ડન્ટ પિંકી માલી સવાર હતા. આ તમામ ૫ લોકોના મોત થયા છે.
રાજ્ય સરકારે આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કરતા 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાયલટે કોઈ પણ પ્રકારનો 'મેડે' કોલ કે ઈમરજન્સી સિગ્નલ આપ્યું ન હતું.