Ayodhya: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) 23 એપ્રિલે વિશ્વના 155 દેશોની નદીઓના પાણીથી ભગવાન રામલલાની મૂર્તિનો ભવ્ય જલાભિષેક (Jalabhishek) કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે.
રાયે પીટીઆઈને જણાવ્યું કે દિલ્હીથી રામ ભક્ત વિજય જોલીની આગેવાની હેઠળની ટીમ અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં ભવ્ય ‘જલાભિષેક' કરવા માટે મુખ્યમંત્રી આદિત્યનાથને વિવિધ ખંડોના 155 દેશોની નદીઓનું પાણી સોંપશે.
રાયે જણાવ્યું કે દુનિયાભરના દેશોમાંથી લાવવામાં આવેલા જલકલાઓ પર તે દેશોના ધ્વજ, તેમના નામ અને નદીઓના નામવાળા સ્ટીકરો હશે. આ કાર્યક્રમમાં અનેક દેશોના રાજદૂતો પણ ભાગ લેશે.
તેમના કહેવા પ્રમાણે, પાકિસ્તાનની નદીઓનું પાણી પાકિસ્તાનના હિન્દુઓ દ્વારા પહેલા દુબઈ મોકલવામાં આવતું હતું અને પછી દુબઈથી તેને દિલ્હી લાવવામાં આવતું હતું. હવે આ પાણી અયોધ્યા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સિવાય સુરીનામ, ચીન, યુક્રેન, રશિયા, કઝાકિસ્તાન, કેનેડા અને તિબેટ સહિત અન્ય દેશોની નદીઓનું પાણી પણ ભગવાન રામલલાના જલાભિષેક માટે લાવવામાં આવશે.