India-US Trade Deal: ‘ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં', શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ | Moneycontrol Gujarati
Get App

India-US Trade Deal: ‘ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં', શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પર કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ખેડૂતોના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં થાય. વાંચો સંપૂર્ણ અહેવાલ.

અપડેટેડ 12:48:55 PM Feb 05, 2026 પર
Story continues below Advertisement
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ પર કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે.

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલ (વ્યાપાર સમજૂતી) હાલ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બની છે. આ મુદ્દે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો વચ્ચે હવે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોરચો સંભાળ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી છે કે આ ડીલ કરતી વખતે ભારતના હિતો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી.

ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય

ગુરુવારે આ મુદ્દે વાત કરતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલી આ સમજૂતીથી દેશના ખેડૂતોને રતિભાર પણ નુકસાન થવાનું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત પોતાના હિતોની રક્ષા કરવા સક્ષમ છે અને આ નિર્ણય કોઈના દબાણમાં આવીને લેવામાં આવ્યો નથી. ચૌહાણે કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય દેશનું માથું ઝુકવા દીધું નથી. અમેરિકા હોય કે અન્ય કોઈ દેશ, અત્યાર સુધી થયેલી તમામ ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને આ હું જવાબદારીપૂર્વક કહી રહ્યો છું."

વિવાદ નહીં, સંવાદમાં વિશ્વાસ

વાતચીત દરમિયાન કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોના હિતો પર કોઈ આંચ આવી નથી. અમારી સરકાર વિવાદમાં નહીં, પરંતુ ‘તાકાતવર સંવાદ'માં વિશ્વાસ રાખે છે. તેમણે આ ડીલને કૂટનીતિ (Diplomacy), વિકાસ (Development) અને ગરિમા (Dignity) નું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.


પીએમ મોદીનો મંત્ર: દેશ અને ખેડૂત સર્વોપરી

જ્યારે શિવરાજ સિંહ ચૌહાણને પૂછવામાં આવ્યું કે જ્યારે આ ડીલ અંગે વાતચીત ચાલી રહી હતી, ત્યારે શું એક મંત્રી તરીકે તેમને જાણકારી આપવામાં આવી હતી? તેના જવાબમાં તેમણે વડાપ્રધાનના સંકલ્પને યાદ કરતા કહ્યું કે, એક નાગરિક તરીકે મને પીએમ મોદી પર ગર્વ છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન બે બાબતોમાં ખૂબ સ્પષ્ટ છે:

* પહેલું, તેઓ દેશને ક્યારેય ઝુકવા નહીં દે.

* બીજું, ખેડૂતોના હિત સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી નહીં કરવામાં આવે, ભલે પછી તેમાં વ્યક્તિગત રીતે કોઈ નુકસાન વેઠવું પડે.

ચૌહાણે અંતમાં ફરી સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલી આ ડીલમાં ભારતીય ખેડૂતોના હિતો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વિપક્ષના આક્ષેપો પાયાવિહોણા છે.

આ પણ વાંચો- India-US Deal: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર! જાણો તમારા પર શું થશે અસર અને કોને થશે ફાયદો?

MoneyControl News

MoneyControl News

First Published: Feb 05, 2026 12:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.